Skip to main content

Posts

મારી દીકરી મને બહુ ગમે છે નાની અમસ્તી, બોલતી, રમતી, ફોટા જેવી ઢીંગલી દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે ફૂલનાં ઢગલા જેવી લાગે છે કાંઇ પણ ખવડાવો તો એ ડ્રેસ ઉપર જરૂર નાખે છે તોય એ ગંદા થતાં જ નથી. એ ખિલખિલાટ હસે છે ત્યારે ખોબલો ધરી હાસ્ય ભેગું કરી પર્સમાં મૂકી દઉં છું હું પછી આખો દિવસ એ પર્સ ખોલી દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું. દીકરી મોટી થઇ જશે ત્યારે ?...... - મીનાક્ષી કૈલાસ પંડિત દીકરી વિશે કેટલાં કાવ્યો ને કેટલાં સંપાદનો થયાં છે !! મીનાક્ષી પંડિતના આ કાવ્યમાં નાનકડી દીકરી વિશે એક ભરી ભરી સંવેદના પથરાઇ છે. આ સંવેદના કોમળ છે, રણઝણતી છે, મહેકથી છલકાય છે અને એક પ્રશ્નથી છેવટે અનુત્તરમાં એનું સમાપન થાય છે.. કાલું કાલું બોલતી, મીઠા કુંજનમાં સૌને નવડાવતી, નાનકડી દીકરી કેવી વ્હાલી લાગે છે !! એ રમે છે ત્યારે માનું મન નૃત્ય કરી ઊઠે છે, એનું બાળપણ કેટલાં માધુર્યથી ભરેલું છે ? ત્યાં સરળતા ને સહજતા જ છે, કોઇ પ્રશ્નો નથી !! ત્યાં માત્ર કલબલાટ ને રણઝણ જ છે, કોઇ કોલાહલ નથી !! એની પાસે ફૂલોનાં ઢગલાંની સુંદરતા ને સુગંધ છે.. સદાયે મ્હોરતું ને ફોરતું આ બાળપણ છે. શિશુનું ભાવવિશ્વ માતાને પણ એ જ અનુપમતામાં ઝબકોળ્યા કરે છે. ખાતી વખતે બાળકના કપડાં ખરડાય નહીં એવું ન બને પણ અહીં વાત ડ્રેસના ગંદા થવાની નથી, વાત માતાની આંખોમાં છવાયેલી દીકરીની સુંદરતાની છે. સૌથી મીઠી ને મધુરી વાત છે દીકરીના હાસ્યની... એનું ખણખણતું, ખિલખિલાટ હાસ્ય માતાની મોંઘી મિરાત છે. આ માતા નવી પેઢીની છે, એની પાસે પોતાના ઘરસંસાર ઉપરાંત બીજી પણ જવાબદારીઓ છે જે તેની પછીની પંક્તિઓમાં અનુભવાય છે. એટલે આ ભાવવિશ્વની રજૂઆત પણ નવી રીતે જ છે. કદાચ માતા પાસે બહારની દુનિયાયે છે, નોકરી છે કે પોતાનું કાર્યક્ષેત્ર છે. અને અહીં કવિતા જન્મે છે... પોતાની નાનકીનું ખોબેખોબા હાસ્ય ભેગું કરી, પર્સમાં ભરી, મનમાં મઢી મા પોતાની સાથે લઇ જાય છે... જ્યારે દીકરી નજર સમક્ષ નથી ત્યારે એ હાસ્યના મોજાંઓ માતાના ચહેરા પર વહ્યા કરે છે.. અને એ પોતે ભીની ભીની ને ભરી ભરી થઇ જાય છે... પછી કામનો બોજ એના ચહેરા પર વર્તાતો નથી કે એ એનાથી દૂર રહી શકે છે !!.... કેવી મજાની આ વાત છે ? આખુંયે કાવ્ય બાળપણના માધુર્યથી ભરપૂર છે. બાળવિશ્વની સુંદરતામાં ભાવકને ડુબાડે છે. હાસ્યને પર્સમાં ભરી આખો દિવસ ચહેરા પર લીંપવાની નાનકડી વાતથી એમાં કાવ્યતત્વનું મજાનું આરોપણ થઇ જાય છે. ((અહીં કવિતા સિદ્ધ થાય છે.)) પરંતુ છેલ્લી પંક્તિ ‘દીકરી મોટી થશે ત્યારે ?’ એ એક માની સહજ અભિવ્યક્તિ હોવા છતાં એ જુદો વિષય બની જાય છે અને કાવ્યને કાવ્યપ્રવાહથી દૂર લઇ જાય છે. આખુંયે કાવ્ય જે રસમાં તરબોળ છે એના કરતાં સાવ જુદી જ વાત અને એય છેલ્લી એક જ પંક્તિ રૂપે મૂકવાને બદલે કવયિત્રીએ ‘દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું.’ આટલું કહીને સમાપ્તિ કરી હોત તો કાવ્યને વધુ ન્યાય મળ્યો હોત !! મૂંઝવણ હવે છે, સમસ્યા હવે છે જેનો એની પાસે જવાબ જ નથી.. દીકરી મોટી થઇ જશે ત્યારે ??? ત્યારે શું થશે એના અનેક વિકલ્પો છે, એ બધા જ જાણે છે પણ કદાચ એને એમાંથી એકેય મંજૂર નથી... કારણ એક જ.. પોતાની પાસે દીકરીની જે સલામતી ને સુરક્ષા લાગે છે એ એને વિશ્વમાં ક્યાંય દેખાય નહીં ને !! ભયનો એક આછેરો અણસાર તમામ વિકલ્પોમાં ડોકાય છે અને એટલે અત્યારે તો એ પ્રત્યે આંખ મીંચી દેવી એ જ એકમાત્ર ઉપાય છે... દીકરી એ માના જીવનનું હાસ્ય છે તો આખરે આ પ્રશ્ન દરેક માની આંખનું છલકાતું આંસુ છે. દીકરી એ બાપની મોઘી મિરાત છે તો આખરે આ પ્રશ્ન પ્રત્યેક પિતાના અસ્તિત્વની અચૂક પીડા છે. કદાચ માનું ચાલે તો એ દીકરીને મોટી થવા જ ન દે !!

મારી   દીકરી   મને   બહુ   ગમે   છે નાની   અમસ્તી ,  બોલતી ,  રમતી ,  ફોટા   જેવી   ઢીંગલી દોડતાં   દો ડ તાં   પડી   જાય   છે   ત્યારે ફૂલના ં   ઢગલા   જેવી   લાગે   છે કાંઇ   પણ   ખવડાવો   તો   એ ડ્રેસ ઉપર જરૂર નાખે છે તોય એ ગંદા થતાં જ નથી. એ ખિલખિલાટ હસે છે ત્યારે ખોબલો ધરી હાસ્ય ભેગું કરી પર્સમાં મૂકી દઉં છું હું પછી આખો દિવસ એ પર્સ ખોલી દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું. દીકરી મોટી થઇ જશે ત્યારે ?......  - મીનાક્ષી કૈલાસ પંડિત દીકરી વિશે કેટલાં કાવ્યો ને કેટલાં સંપાદનો થયાં છે !! મીનાક્ષી પંડિતના આ કાવ્યમાં નાનકડી દીકરી વિશે એક ભરી ભરી સંવેદના પથરાઇ છે. આ સંવેદના કોમળ છે, રણઝણતી છે, મહેકથી છલકાય છે અને એક પ્રશ્નથી છેવટે અનુત્તરમાં એનું સમાપન થાય છે.. કાલું કાલું બોલતી, મીઠા કુંજનમાં સૌને નવડાવતી, નાનકડી દીકરી કેવી વ્હાલી લાગે છે !! એ રમે છે ત્યારે માનું મન નૃત્ય કરી ઊઠે છે, એનું બાળપણ કેટલાં માધુર્યથી ભરેલું છે ? ત્યા...
Recent posts

The Himalayas

I am not opposed to therapeutic drugs and medicines, but I want others to know about the preventive medicines. There is another high way to help people with the willpower. Vocal power means that there is a strong desire, concentration, and powerful power through a spiritual yam-rule. In today's medicine, there is no such thing to cultivate. After my experiences with professional doctors, I am convinced that while treating the disease, the behavior of the doctor and his will are more important than the herb. As doctors, this fact will understand that they can help him by teaching the patient not only by drugs but also by other methods of preventing illness, and can make him aware of the power to heal itself. "

વિદ્યા અને અવિદ્યા બંને જરૂરી છે

વિદ્યાહીન અવિદ્યા કે અવિદ્યાહીન વિદ્યા એકલી અનર્થકારી નીવડે છે. કેવળ અવિદ્યા એકલી હોય તો ચાલે ,  એમાંથી જ્ઞાનશૂન્ય જડતા નીકળે પણ કેવળ વિદ્યા એકલી ન જોઈએ . એકલી વિદ્યામા...